Archive for the ‘સુવાક્યો’ Category

પશુપક્ષીઓ પ્રતિ દયા રાખવી

Tuesday, January 26th, 2010

પશુપક્ષીઓ પ્રત્યે દયા રાખવી એ જ મોટામાં મોટો ધર્મ છે

-શ્રી ક્રિષ્ણ ભગવાન

_______________________________________

બધા જ જીવોને મિત્રતાની દ્વષ્ટીએ જુવો.

-યજુર્વેદ

_______________________________________

પ્રત્યેક પ્રાણી સુખ જ ઈચ્છે છે,

તેથી બધાને મમતા પ્રદાન કરો.

-ગૌતમ બુદ્ધ

_______________________________________

સમસ્ત બ્રહ્માંડના દરેક જીવો પ્રત્યે મિત્ર ભાવ રાખવો,

એ જ ઊંચો ધર્મ છે.અર્થાત પ્રત્યેક જીવને

પોતાના સમાન જ સમજો.

-ગુરુ નાનક

________________________________________

ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે

દયા રાખનારો ,પોતાના પ્રત્યે દયાળુ છે.

-મોહમ્મદ સાહેબ

________________________________________

સુખમાં કે કષ્ટમાં,આનંદમાં કે મોક્ષમાં,

દરેક પ્રાણી પ્રત્યે એ જ ભાવ રાખો ,

જે તમે પોતાના પ્રત્યે રાખો છો.

-ભગવાન મહાવીર

_________________________________________

ભગવાન બધા જીવો પ્રત્યે દયાળુ છે,અને

તેમની પ્રેમવર્ષા તેમના દરેકે દરેક પ્રાણી પ્રત્યે હોય છે

-પ્રભુ ઈસુ

વિણેલા મોતી

Saturday, January 23rd, 2010

*મારા જેવા અલ્પાત્માને માપવા સારુ,સત્યનો ગજ કદી ટુકો ન બનો

-મહાત્મા ગાંધી


*જેહના ભાગ્યમાં જે સમે, જે લખ્યુ ,તેહને તે સમે તે જ પહોચે.

-નરસિંહ મહેતા


*બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે

-ટીપુ સુલતાન


*હું માનવી માનવ થાઉં તો ઘણુ

-સુન્દરમ્‌


*કઠોર પરીશ્રમનો કોઈ વિકલ્પ નથી

-ઈન્દિરા ગાંધી


*એક મૂરખને એવી ટેવ,પથ્થર એટલા પૂજે દેવ

-અખો


*અસત્યો માહેથી ,પ્રભુ પરમ સત્યે તુ લઈ જા

-નાનાલાલ


*મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે

-મહાત્મા ગાંધી


*સૌન્દર્યો પામતા પહેલા સૌન્દર્ય બનવુ પડે

-કલાપી


*કંઈ લાખો નિરાશા અમરમાં આશા છુપાઈ છે

-બાળાશંકર


*દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા

-રવિન્દ્રનાથ ટાગોર


*હું મારા અંતરાત્માને ખુશ રાખવા ઈચ્છુ છુ કે જે ભગવાન છે

-મહાત્મા ગાંધી


*જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે.

-જવાહરલાલ નેહરુ


*મૃત્યુ એ અંત નથી કે અડચણ નથી,પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે

-ડૉ.રાધાકૃષ્ણન્‌


*માણસના વિકાસ માટે જીવન જેટલુ જ જરુરી મૃત્યુ છે

-મહાત્મા ગાંધી


*જ્યાં ડર નથી,ત્યાં ધર્મ નથી

-મહાત્મા ગાંધી


*દર્શન,ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે

-આચાર્ય રજનીશ


*જ્યારે તમે અનુભવો છો કે તમે કંઈ જાણતા નથી, ત્યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો

-મધર ટૅરેશા


*જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાનતા ભિન્‍નતા તરફ લઈ જાય છે

-રામકૃષ્ણ


*ક્ષમા એ સિપાહીનું ઘરેણુ છે

-મહાત્મા ગાંધી


*ચાલો આપણે ભગવાનથી ગભરાઈએ અને માણસથી ગભરાવાનું બંધ કરીએ.

-મહાત્મા ગાંધી